Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચૂંટણી પહેલા રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં / આ બે દિગ્ગજ નેતાએ કરી બંધબારણે બેઠક - GUJJUFAN

ચૂંટણી પહેલા રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં / આ બે દિગ્ગજ નેતાએ કરી બંધબારણે બેઠક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ થાય છે. કારણ કે અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓએ બંધબારણે બેઠક કરી અન્ય પક્ષના નેતાઓ સાથે થવા લાગી છે. તો બીજી તરફ અલગ-અલગ સમાજના પ્રતિનિધિઓ પણ અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા પક્ષમાં જોડાવા માટે કે પછી પક્ષને સમર્થન કરવા માટે રાજી કરવામાં આવી રહ્યા છે.

ત્યારે ચૂંટણી પહેલા જ ચરોતરમાં રાજકીય નેતાઓ દ્વારા બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ કહેવાનું કારણ એ છે કે નડિયાદમાં બે ખિલખિલાટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતાં સમયે એનસીપીના પ્રમુખ જયંત પટેલ અને ભાજપના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વચ્ચે એક બેઠક થઇ હતી.

રિપોર્ટના જણાવ્યા અનુસાર નડિયાદ માં જુની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા સાંસદ સેવા કેન્દ્ર માં સોમવારે 11 વાગ્યે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બે ખિલખિલાટ વાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સુવિધા કેન્દ્રની ઓફિસમાં સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ અને એનસીપીના પ્રમુખ જયંત પટેલ વચ્ચે બંધબારણે બેઠક મળી હતી.

એનસીપીના પ્રમુખ જયંત પટેલ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વચ્ચે યોજાયેલી બેઠક ને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. કારણ કે 2017માં એનસીપીના પ્રદેશ પ્રમુખ ઉમરેઠ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા,

અને તેમાં તેમનો પરાજય થયો હતો અને તેમની સામે ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારે એન.સી.પી અને ભાજપ વચ્ચે ગઠબંધનને લઇને ચર્ચા સામે આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *