PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે સી.આર.પાટીલે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને લીધા આડા હાથે..
પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. જેને લઈને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર સોંપ્યું હતું. ત્યારબાદ સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગણી કરી હતી. આ સાથે કોંગ્રેસ દેશને અસ્થિરતામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તેવા પણ આરોપ લગાવ્યા હતા ગઈકાલે પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની એક મોટી રેલી હતી. આ સમયે પ્રધાનમંત્રી મોદી રોડ માર્ગે જઈ રહ્યા હતા.
તે સમયે ખેડૂતો એ રસ્તા પર તેમનો કાફલાને રોક્યો હતો રાજ્યમાં મહામારી ના સતત કેસમાં વધારો થતાં ગુજરાત સરકાર સતત કાર્યરત થઇ રહી છે.
ગુજરાતમાં સંક્રમણના કેસ વધતા ફરી એક વખત ગાંધીનગરમાં કંટ્રોલરૂમ કાર્યરત કરાશે. ગાંધીનગરમાં જુના સચિવાલય ખાતે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે.
મુખ્ય સચિવ પંકજકુમાર ના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં આ નિર્ણય કરવામાં આવશે. સંક્રમણની સ્થિતિની સમીક્ષા માટે આયોજિત આ બેઠકમાં 10 જેટલા નોડલ ઓફિસર અને તમામ આરોગ્ય અધિકારીઓ હાજર રહેશે.
આ બેઠકમાં આરોગ્ય સુવિધાઓ સહિત અન્ય વિષય પર ચર્ચા કરવામાં આવશે. તમામ અધિકારીઓને ડિજિટલ એક્ટિવ લેવા માટે ભાર મુકવામાં આવશે.
આ સાથે ત્રીજી લહેર ની આગાહી વચ્ચે તંત્રને એલર્ટ કરવામાં આવશે. હોસ્પિટલ બેડ ની સ્થિતિ ઓક્સિજનના સ્ટોકની સ્થિતિ વગેરે બાબતો પર ભાર મુકવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!