ત્રિકોણીય જંગ વચ્ચે, શું ગુજરાત કોંગ્રેસના કપ્તાન બનશે પ્રશાંત કિશોર ?
ગુજરાતમાં 2022 ની વિધાનસભા ચૂંટણી માટે અંતે હાઈ કમાન્ડ મોડ પર આવી ગયું છે, અને ચૂંટણીના રણનીતિકાર ગણાતા પ્રશાંત કિશોરને મેદાનમાં ઉતારવાનો નિર્ણય ની વાતો ચાલી રહી છે. આ મામલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, અગાઉ મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોર ના મુદ્દે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વાત તો એવી પણ છે કે, પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં ઉતરી ચૂકી છે. અને કોંગ્રેસ માટે ચૂંટણી અંગે સર્વે પર શરૂ કર્યા હોવાની વાત ચર્ચામાં આવી છે.જો કે પ્રશાંત કિશોરની ગુજરાત કોંગ્રેસ ની જવાબદારી સોંપવામાં આવે તો તે સૌથી મોટો પડકાર રહેશે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજનારી વિધાનસભા 2022 ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચના ને લઈને કોંગ્રેસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઇને કોંગ્રેસના ધારાસભ્યો અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી રહી છે.
આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આમ ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણી અગાઉ તૈયારી કરી રહી છે, ત્યારે હવે પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે મેદાનમાં ઊતરશે ત્યારે ત્રિપાંખિયો જંગ ખેલશે. તેમાં કોણ આવશે તે તો સમય જ બતાવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!