અંદરોઅંદર વિખવાદ / રૂપાણીની હાજરીમાં આ કાર્યક્રમમાં બે સાંસદોએ વ્યક્ત કરી નારાજગી..
ભાજપના સ્નેહમિલનમાં સિલસિલો સાથે આંતરિક જૂથવાદ ની ચર્ચાએ જોર પકડયું છે. સોમવારે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષની નિમિત્તે યોજાયેલ સ્નેહમિલન સમારંભમાં રાજકોટના લોકસભાના અને રાજ્યસભાના બંને સાંસદના નામ કમી કરી નાખ્યા છે. જે આશ્ચર્યની વાત છે કે, તારીખ 20ના રોજ ભાજપના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ પાર્ટી સાથે સ્નેહમિલન યોજાયું હતું.
છતાં તે પહેલા સંગઠન નું સ્નેહમિલન તારીખ 15ના સાંજે છ વાગ્યે રિંગ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં દેવાયું છે. જેમાં મહત્તમ સંખ્યા થાય તેવા પણ પ્રયાસો થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રૂપાણી અને પાર્ટીને સ્નેહમિલન ને શહેરના ભાજપના કાર્યકર્તાઓ માટે યોજાશે તો બીજી તરફ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ માર્કેટ યાર્ડના કિસાન હોલ ખાતે આ જ દિવસે તારીખ 15ના સાંજે 4 વાગ્યે સ્નેહમિલન યોજાયું હતું.
તેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા નું નામ તો સમાવિષ્ટ કરાયું છે. પણ રાજકોટના રહેવાસી અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા નું નામ જિલ્લા ભાજપે પણ ઉલ્લેખ કર્યો નથી.
જિલ્લા ભાજપમાં હાજર રહેતા મહાનુભાવોમાં પૂર્વ મંત્રીઓ માં બાવળીયા, રાદડિયા ઉપરાંત ધારાસભ્યોના નામ પણ શામેલ છે. શહેર અને જિલ્લા બંને મિલનના મંત્રી જીતુ વાઘાણી ના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં સ્નેહમિલન માટે અને જેતપુર ના કાર્યક્રમ માટે આવી રહ્યા છે,પરંતુ તેઓ નજીકના સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર તમામ રાજકોટમાં કોઈ કાર્યક્રમ નથી.
તેમ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે સ્નેહમિલનમાં માત્ર હળવું મળવું અને માફ કરવું કે માફી લેવા જેવું નથી પરંતુ ધારાસભાની ચૂંટણી પૂર્વે રાજકીય વજન દેખાડવાનું પણ વલણ જોવા મળે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!