ગુજરાતમાં ખેડૂત આંદોલનના એંધાણ, આવતીકાલે સૌરાષ્ટ્ર માં ખેડૂતો થશે એકઠા, જાણો સમગ્ર મામલો

રાજ્યમાં ચોમાસાનો બે રાઉન્ડ બાદ પણ વરસાદની ઘટ છે. આગામી એક સપ્તાહમાં વરસાદ ન થાય તો ગુજરાત ના ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સંભાવના છે. ત્યારે ખેડૂત એક મંચ થઈ આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યો છે.ત્યારે ખેડૂતો દ્વારા એક મંચ થાય આંદોલનમાં જોડાવા ખેડૂતોને હુંકાર કરવામાં આવ્યો છે.

ત્યારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે.26 ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થશે. ખેડૂતો એક મંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હજી સુધી સરખો એટલે કે સારો વરસાદ પડ્યો નથી.

મોટાભાગના ખેડૂતોને વાવણી પણ થઇ નથી. જે ખેડૂતોને વાવણી કરી હતી તેનો પાક નિષ્ફળ ગયો છે. આવા સમયે હજી સુધી સરકાર દ્વારા કોઇ પ્રકારની સહાયની જાહેરાત કરવામાં આવી નથી.

ત્યારે સુરેન્દ્રનગર ની ખેતીવાડી અધિકારી કચેરી રજૂઆત કરવા માટે આવતીકાલે એટલે કે 26 ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચશે અને આ ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ માંગ મુખ્યમંત્રી સહાય યોજના અને SDRF અંતર્ગત સહાય આપવાની માંગ કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *