ઈશુદાન ગઢવીનું મોટુ નિવેદન કહ્યું કે, અમે આટલી સીટો સાથે બહુમતીથી સરકાર બનાવીશું..
ગુજરાતમાં ભાજપના નેતૃત્વ પરિવર્તન બાદ પ્રથમ ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં વ્યાપક રીતે પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટી મેદાન માં આવી તેવો વિશ્વાસ વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના નવા ચહેરા તરીકે ઉપસી આવેલ ઈશુંદાન ભાઈ ગઢવી એ દાવો કરતાં જણાવ્યું છે કે, અમુક ખુદ એ આંતરિક સર્વે કરાવ્યો હતો.
અને તમામ વોર્ડમાં થી અલગ અલગ વર્ગના 12 હજારથી વધુ લોકોના અભિપ્રાયો મેળવ્યા હતા. જેમાં 9 હજાર જેટલા લોકો આમ આદમી પાર્ટી સાથે હોવાનું જણાવતા અમારા પક્ષનું ચિત્ર ઉજળું હોવાના સંકેત મળ્યો છે.
ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, અમારા પક્ષના નવા ચહેરા છે. અને તેમાં લોકો ને સમર્પિત હોવાની એક વ્યાપક છબી બની છે.
મહાનગરોમાં થી 44 બેઠકમાંથી આપ 40 લડે છે. ચાર બેઠક પર અમારા ઉમેદવારો સહિત કારણોથી લડતા નથી. પણ અમો 25-26 બેઠકો પર જીતના આશાવાદી છે.
લાંબા સમય પછી લોકોને ભાજપ-કોંગ્રેસ વિવાદનો મજબૂત વિકલ્પ મળ્યો છે. તારીખ 29 ના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ને ભવ્ય રોડ શો તથા સભા યોજવાની છે.
પછી ક્લીન સ્વીપ જેવી સ્થિતિ બની જશે. અને સૌથી મોટા પક્ષ તરીકે પણ ઉપસી આવશે. તેવો વિશ્વાસ ઇશ્વરદાન ગઢવી એ કુલ 11 વોર્ડ માં અમે 10માં લડીએ છીએ. અને 5-6 વોર્ડમાં અમારી પૂરી પેનલ છે.
તો બાકીના બોર્ડમાં હરીફ પક્ષો ની પેનલ તોડીને અમારા ઉમેદવાર વિજેતા બની જશે તેવો અંદાજ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!