જીતુ વાઘાણીએ ગાંધીનગરની ચૂંટણીને લઈને આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન કહ્યું કે…

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજ્યના રાજકારણમાં પણ હલચલ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. બધા પોતાની પાર્ટીઓનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને મોટી હલચલ જોવા મળી છે.

ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપ નેતા જીતુ વાઘાણી એ મહત્વનું નિવેદન આપ્યું છે.તેમણે જણાવ્યું છે કે, ગાંધીનગરની જનતા ફરી એકવાર વિકાસને પસંદ કરશે.

માહિતી અનુસાર ગાંધીનગર મનપાની ચૂંટણીનો પ્રચાર પુરી જોરથી ચાલી રહ્યો છે. પહેલીવાર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત ઘરે ઘરે ફરીને ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છે.

તેવા સમયે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી એ કહ્યું હતું કે, વિપક્ષ ગમે તેમ કરે પરંતુ ભાજપના કાર્યકર ગાંધીનગર મનપા મૂંગા મોઢે પ્રચાર કરશે અને ગાંધીનગરની જનતા વિકાસની રાજનીતિને મત આપશે.

ગાંધીનગર મનપાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જ્યારે ચૂંટણી પ્રચાર માટે પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ નેતાઓ અને પ્રધાનો અને જવાબદારી સોંપવામાં આવી છે.

સાથે જ મુખ્ય પ્રધાનને પણ પેજ સમિતિ નું સંમેલન યોજીને તમામ મનપાની બેઠકો જીતવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *