PM મોદી અને ગડકરી વચ્ચે મતભેદ વિશે, કન્હૈયા કુમારે આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન..
તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલ કન્હૈયા કુમાર કહ્યું કે દેશમાં એક જ પાર્ટીએ જે ભારતીય જનતા પાર્ટીની સામે લડવાની તાકાત ધરાવે છે. રાહુલ ગાંધીની હાજરીમાં મંગળવારે કોંગ્રેસનો દામન થામનાર JNU સ્ટુડન્ટ યુનિયન ના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર એ પંજાબ કોંગ્રેસના આંતરિક ઝઘડા વિશે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે, પીએમ મોદી અને કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરી વચ્ચે મતભેદો ચાલે છે એના વિશે કોઈ વાત કેમ નથી કરતું ?
કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાતા પહેલાં લિફ્ટ પાર્ટી સાથે CPI જોડાયેલા હતા. પંજાબ માં આમ તો છેલ્લા કેટલાક મહિનાથી કોંગ્રેસના આંતરિક રાજગઢ ચાલે છે
પરંતુ તાજેતરમાં નવજોત સિધ્ધુ અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર વચ્ચેના ગજગ્રાહમાં કેપ્ટનનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. એ પછી કેપ્ટન અમરિંદર કોંગ્રેસ છોડી દેવાની પણ વાત કરી છે.
તો બીજી તરફ નવજોત સીધે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતાં પંજાબના રાજકારણમાં હલચલ થયેલ છે. પંજાબ ના નવા વરાયેલા પ્રમુખ ચન્ની સામે પણ અનેક પડકારો ઊભા થયા છે.
એક અહેવાલ મુજબ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા કનૈયાકુમાર એવું કહ્યું હતું કે, કોંગ્રેસ ની જેમ જ છે એ અનેક વખત તો દેખાય પણ વાસ્તવમાં ચાંદ વસ્તુઓ તો નથી આમ છતાં ભાજપ સાથે લડવા માટે માત્ર એક વિકલ્પ કોંગ્રેસ જ છે.
વર્ષ 2024 લોકસભા ચૂંટણીમાં વિપક્ષના ચહેરા બાબતે કનૈયા કુમારે કહ્યું હતું કે, લોકો નક્કી કરશે કે પીએમ મોદીના વિરોધમાં મમતા બેનરજીને પસંદ કરવા કે રાહુલ ગાંધીને.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!