કુંવરજી બાવળિયાની નારાજગી આવી સામે, આડકતરી રીતે આપ્યું મોટું નિવેદન..

રાજકોટ શહેર રાજકોટ જિલ્લા ભાજપની આજે સ્વામિનારાયણ ગુરુકુળ કારોબારી બેઠક મળી છે જેમાં જિલ્લા ભાજપ આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ વિછીયા ના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ આડકતરી રીતે સ્વીકાર્યું હતું કે મંત્રીપદ હતું ત્યારે લેખિતમાં રજૂઆત કરવી પડતી ન હતી હવે લેખિતમાં રજૂઆત કરવી પડે છે.

અમને જે જવાબદારી સોંપવામાં આવશે અને અમે તેમને નિભાવીશું તેવું કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ સંકલનમાં આવતા હોય છે.

આ માટે અલગ-અલગ પ્રશ્નો મુક્યા છે મંત્રી હતા ત્યારે પણ કામ થતા અને હવે પણ કામ થાય છે મંત્રી હતો ત્યારે પ્રશ્નોનો ઉકેલ આવતો હતો હવે જે બાકી રહેલા પ્રશ્ન છે એ લખ્યા છે.

આ માર્ગ રીતે કુંવરજી બાવળીયાએ સ્વીકાર્યું હતું કે મંત્રીપદ હતું ત્યારે લેખિતમાં રજૂઆત કરવી પડતી ન હતી હવે કરવી પડે છે.

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા એ જણાવ્યું હતું કે પહેલા પ્રદેશ ભાજપની કારોબારી યોજાય છે

એના 15 દિવસમાં પ્રદેશમાં જ જે નિર્ણય લેવાયા હોય તેની ચર્ચા માટે જિલ્લા ભાજપની કારોબારી મળે છે .આજે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી છે

આ કારોબારીમાં જિલ્લા આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે સરપંચની ચૂંટણીમાં પાર્ટી સીધી રીતે ઇન્વોલ થતી નથી પણ સમરસ થાય તેવા પ્રયત્ન કરતી હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *