કુવરજી બાવળીયા : કોળી સમાજના પ્રમુખ પદેથી જવાબદારી મુક્ત થવાનો લીધો નિર્ણય, જાણો શા માટે..
કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયા ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી જવાબદારીમાંથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એક વિડિયો સંદેશ જાહેર કરીને કર્યો હતો. કુંવરજી બાવળીયાએ કહ્યું કે કેબિનેટ પ્રધાન કાર્યભાર ને કારણે તેઓ સંગઠન પૂરતો સમય નથી આપી શકતા બાવળીયા અન્ય આગેવાનો ને પ્રમુખ પદેથી સોપવાની રજૂઆત કરી છે.
મહત્વનું છે કે દેશના 17 રાજ્યોમાં કોળી સંગઠન ભારતીય કોળી સમાજના પ્રમુખ પદે છે
કુંવરજી બાવળિયા વર્ષ 2017 થી પ્રમુખના હોદ્દા પર અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે તેમની નિમણૂક વર્ષ 2017માં થઈ હતી, ત્યારબાદ હોદ્દાની સમય મર્યાદા ત્રણ વર્ષની હોય છે. ત્રણ વર્ષ બાદ નવા પ્રમુખની નિમણૂક થતી હોય છે.
પરંતુ મહામારીને કારણે આ શક્ય બન્યું નહોતું અને કુંવરજી બાવળિયાને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું જોકે, તેઓની ટર્મ પૂરી થાય તે પહેલાં જ કુવરજી બાવળીયા હોદ્દા પરથી મુક્ત થવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સામાજિક ક્ષેત્રે મોટી જવાબદારી અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન દેશમાં કોળી સમાજ નું સૌથી મોટું સંગઠન છે. અને ગુજરાત સહિત ૧૭ જેટલા રાજ્યોમાં આ સંગઠન કામ કરે છે. સામાજિક ક્ષેત્રમાં ખૂબ જ મોટી જવાબદારી ગણાય છે.
કોળી સમાજના અલગ અલગ વિકાસ ના સામાજિક કામો સંગઠન દ્વારા કરવામાં આવે છે. કોળી સમાજના સમુહ લગ્નોત્સવ વ્યસનમુક્તિ સમાજના વિવિધ કાર્યો અને સંગઠન મારફતે થાય છે. જોકે આ સંગઠન બિનરાજકીય રીતે કામ કરે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!