નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા અંગે PAAS અને SPGના આગેવાનોએ આપ્યું મોટું નિવેદન..
વિધાનસભા ચૂંટણી પગલે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા ની ચર્ચાએ વેગ પકડ્યો છે. જેને લઇને હવે આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવી જ રીતે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા ને લઈને એસપીજીના નેતા લાલજી પટેલ અને કોંગ્રેસ નેતા ગીતા પટેલ નરેશ પટેલ ને લઈને પ્રતિક્રિયા આપી છે.
નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે કોંગ્રેસ નેતા ગીતા પટેલે કહ્યું કે, હું બહુ ખુશ છું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યા છે તેની સૌથી વધુ મને ખુશી છે. જો નરેશભાઈ કોંગ્રેસમાં આવતા હોય તો આ ભ્રષ્ટ સરકાર સામે લડવા તૈયાર થતા હોય તો મને બહુ આનંદ છે.
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા ને લઈને એસપીજીના લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનને લઇને અત્યાર સુધી જે અમને તકલીફો પડી છે. તેનાથી નરેશ પટેલ વાકેફ છે તેઓ જે કોઈ પાર્ટીમાં જશે સમાજને ફાયદો થશે.
જો નરેશભાઈ કેમ બને તો અમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઇ જશે. કારણ કે તેમને અમારી સમસ્યાઓની ખબર છે, અને તેઓએ ઘણી વાર તેમને સમર્થન આપ્યું છે.
પાટીદાર નેતા દિનેશ બાંભણિયા એ કહ્યું કે, આ વાત ખોટી અને વાહિયાત લાગે છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસમાં જે લીડરશીપ નો અભાવ છે, તે પૂર્ણ થશે.
નરેશ પટેલ રાજકારણમાં જોડાયા છે કે નહીં તેને લઈને તમામ લોકો જાણવા માંગે છે. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઇ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, નરેશભાઇ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!