રૂપાણી સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, આ તરીકે ધોરણ 9 થી 11 ની શાળાઓ શરૂ, જાણો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 11 ના વર્ગ સોમવારે તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે. 50% કેપેસિટી સાથે વર્ગ શરૂ કરી શકાશે વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.
શાળામાં વર્ગમાં પ્રત્યેક શિક્ષક માટે આવનાર વિદ્યાર્થીઓ પોતાના વાલીની સમિતિ પત્ર રજૂ કરવાનો રહેશે ઓનલાઇન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. શાળામાં ફિઝિકલ અને ભૌગોલિક શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ના અધ્યક્ષ માં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
બધી શાળાઓએ કોરોના ની ગાઈડલાઈન પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે આગામી તારીખ 9 જૂલાઈની ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ ૧૨ ના વર્ગ તેમજ ડિગ્રીના કોલેજના વર્ગ 50% કેપેસિટી સાથે શરૂ કર્યા છે.
ત્યારબાદ હવે ધોરણ 9થી 11 શાળા વર્ગ પણ ભૌતિક રીતે આગામી તારીખ થી શરૂ કરવામાં આવશે કોર કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમ જ મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્રસચિવ કમલનાથ ગૃહ વિભાગ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!