ગુજરાત નું એકમાત્ર એવું મંદિર જ્યાં હનુમાનજીના ચરણોમાં શનિદેવ શ્રી સ્વરૂપે બિરાજમાન છે…
Lord Shani at the feet of Hanumanji: આ અનોખા મંદિરમાં મહાબલિ હનુમાનજીના ચરણોમાં શનિદેવ સ્ત્રી સ્વરૂપમાં બિરાજમાન છે શનિદેવને સૌથી ક્રોધિત દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તેમની ખરાબ નજર પડે તો તેના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. ( Hanumanji ) આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ભગવાન હનુમાનજીની પૂજા કરે છે તેના પર શનિદેવનો પ્રભાવ નથી પડતો. કહેવાય છે કે મહાબલી હનુમાન સમક્ષ શનિદેવ પણ કંઈ કરી શકતા નથી.
આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભગવાન શનિ સ્ત્રી સ્વરૂપમાં મહાબલિ હનુમાનના ચરણોમાં છે. હવે પ્રશ્ન એ પણ થાય છે કે શનિદેવને સ્ત્રીરૂપ ધારણ કરીને મહાબલી હનુમાનજીના ચરણોમાં બેસવાનું શું કારણ હતું? ભારતમાં આવું મંદિર ક્યાં છે? તો ચાલો જાણીએ.
પૌરાણિક કથાઓ અનુસાર એક સમયે પૃથ્વી પર શનિદેવનો પ્રકોપ થોડો વધારે હતો. શનિદેવની દ્રષ્ટિ થી મનુષ્ય અને માનવ દેવતાઓ પર પણ ખૂબ જ પરેશાન હતા આ પછી બધાએ શનિદેવના પ્રકોપથી બચવા માટે મહાબલિ હનુમાનજીને યાદ કર્યા અને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી.
ભક્તોની વિનંતી પર હનુમાનજી શનિદેવને દંડ આપવા માટે નીકળ્યા. જ્યારે શનિદેવ ને આ વાત ખબર પડી તો તેઓ ડરી ગયા કારણકે તે જાણતા હતા કે હનુમાનજીના ક્રોધ થી તેમને કોઈ બચાવી શકશે નહીં. લોકપ્રિય દંત કથાઓ અનુસાર ભગવાન હનુમાનના પ્રકોપથી બચવા માટે શનિએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું.
દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાનજી બ્રહ્મચારી છે અને તેઓ કોઈ સ્ત્રી પર હાથ નથી ઉપાડતા અને ન તો દંડ કરતા બસ આજ વિચારીને શનિદેવી હનુમાનજીથી બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન અનુમાનના ચરણોમાં ચરણ માંગી. હનુમાનજીને ખબર પડી કે ભગવાન શનિ સ્ત્રીના રૂપમાં છે તેમ છતાં હનુમાનજીએ શનિદેવને તેમના સ્ત્રી સ્વરૂપમાં માફ કરી દીધા હતા.
તે પછી શનિદેવ હનુમાનજીના ભક્તો પરથી પોતાનો ક્રોધ દૂર કર્યો આ મંદિરમાં શરીરમાંથી ભૂતપ્રેત પણ કાઢી આપવામાં આવે છે. અને આ મંદિરમાં રોજના લાખો ભક્તો મુલાકાત લે છે અને હનુમાનજીના આશીર્વાદ મેળવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!