Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
માં મોગલ ને પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ આપ્યા ઉપાય ઉપવાસને બદલે માત્ર આટલું કરવાથી માતા પ્રસન્ન થશે, જય માં મોગલ - GUJJUFAN

માં મોગલ ને પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ આપ્યા ઉપાય ઉપવાસને બદલે માત્ર આટલું કરવાથી માતા પ્રસન્ન થશે, જય માં મોગલ

લોકો અલગ અલગ રૂપમાં ભગવાનને પૂજે છે. આપણે સૌ જાણીએ છીએ કે, વ્યક્તિ ખુશ હોય કે દુઃખી હોય સૌથી પહેલા ભગવાનના ચરણમાં જાય છે. આપણે અહીં માં મોગલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ભક્તોના દુઃખ અને મુસીબતને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે. લોકોમાં પણ માતા મોગલ પ્રત્યે શ્રદ્ધા છે.

મા ના ભક્તો દેશ વિદેશમાંથી આવે છે. લોકો પોતાની માનતા પૂરી કરવા માટે માતા મોગલના ધામ આવે છે. આપણે અહીં કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ વિશે વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, અહીં મંદિરમાં વર્ષોથી પૈસાનું દાન લેવામાં આવતું નથી.

ફક્ત અન્નદાન જ સ્વીકારવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો આવવા છતાં અહીં ભોજનની કમી નથી. જે માના આશીર્વાદ છે. તમને જણાવી દઈએ કે, અહીં મંદિરમાં 108 યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાજીની પૂજા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મણીધર બાપુએ સંબોધન આપીને માને ખુશ કરવાના ઉપાય જણાવ્યા હતા. બાપુએ કહ્યું કે, મા ને ખુશ કરવા માટે કોઈ ઉપવાસ કે વાર રહેવાની જરૂર નથી. પરંતુ ગરીબોને કપડાં અને ભોજન આપવાથી મા મોગલ પ્રસન્ન થાય છે.

મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડવાથી માતાએ આશીર્વાદ મળે છે. આમ કરવાથી માતા ની કૃપાદ્રષ્ટિ સદાય તમારા પર બની રહે છે. ભક્તોના દુઃખ અને મુસીબતને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *