હવામાન વિભાગ : ગુજરાતમાં ઘટશે વરસાદ નો જોર, પણ આ તારીખથી રહેશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું છે. 31 જુલાઈ સુધી સામાન્ય વરસાદ રહેશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 31 જુલાઈથી બે દિવસ ફરી ભારે વરસાદ થઇ શકે.
રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજથી રાજ્યમાં સામાન્ય વરસાદની સ્થિતિ રહેશે તેમજ રાજ્યમાં ૩૧ જુલાઇ પછી હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે સાથે અમદાવાદ સહિત શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 31 જુલાઈથી બે દિવસ પડી શકે છે ભારે વરસાદ.જોકે હજી સુધી રાજયમાં મોસમનો ૩૩ ટકા જ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં ગયા.
વર્ષે ૨૬ જુલાઇ સુધીમાં તે ઇંચ સાથે સરેરાશ 36.66 ટકા વરસાદ નોંધાયો હતો, ગયા વર્ષની તુલનાએ આ વર્ષે વરસાદ નું પ્રમાણ સામાન્ય જણાય રહ્યું છે.
મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં 20.23 સાથે સિઝનનો સૌથી વધુ 35.19 ટકા વરસાદ નોંધાયો છે.મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં 20.23 સાથે સિઝનનો સૌથી વધુ 35.19 ટકા વરસાદ નોંધાયો છે.
શહેરમાં ગયા વર્ષમાં આ મહિનાની સરખામણીએ 10.27 સાથે સિઝનનો 37.27 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.ત્યારે હવામાન વિભાગે ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ભાવનગર સહિતના પંથકમાં વરસાદની આગાહી કરાઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!