હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વિસ્તારમાં 99 % વરસાદને લઈને કરી મોટી આગાહી

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે. જેમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના થોડા ભાગે તેમજ ઉત્તર પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્ય માં ચોમાસુ આગળ વધ્યું છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વર્ષે વાવણીલાયક ચોમાસું શરૂ થવાનાં એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના વચ્ચે 99 ટકા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગુજરાતના ભાગોમાં શરૂ થાય તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે 15 જૂન આજુબાજુ ગુજરાતમાં ચોમાસું બેસતાં હોય છે.

પરંતુ આ વર્ષે 4 થી 5 દિવસ વહેલું ચોમાસું બેસી જાય તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે લનની અસર ને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગ માં 40 થી 45 અથવા તેનાથી વધુ વરસાદ થઈ શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ભાગોમાં 30 થી 32 ઇંચ જેટલો વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા હતા. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *