હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી / આગામી આટલા દિવસ રહેશે સૌરાષ્ટ્રમાં વરસાદ.

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર જિલ્લાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં જૂનાગઢ જામનગર અને રાજકોટ માં અતિ ભારે વરસાદના કારણે અનેક ગામડાઓમાં નદીના પાણી ઘૂસી આવ્યા છે.

અને લોકો ફસાઇ ગયા છે. ત્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 22 તારીખ સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી ચારથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સિસ્ટમ મજબૂત થતા ભારતના મધ્ય ભાગે ઉત્તર મધ્ય ગુજરાત ના ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગોને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ પણ છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ડાંગ, વલસાડ અને આહવા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

જેમાં વરસાદની વાત કરીએ તો આગામી સમયમાં આ જ રીતે વરસાદ પડે તો 98 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત આગામી દિવસમાં જુનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર અને દ્વારકા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યની રેસ્ક્યુ ટીમ અને રાજ્યની પોલીસ વરસાદના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *