મિશન ગુજરાત / ભાજપના નારાજ નેતાઓને પ્રભારી દ્વારા સોપવામાં આવશે મોટી જવાબદારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતી મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી દિવસોમાં ત્રણ દિવસ મુલાકાત આવી ચૂક્યા છે. ત્યારબાદ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. ત્યારે હવે પુત્ર દ્વારા જાણકારી મળી રહી છે કે, તે અનેક દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરશે.
પૂર્વ મંત્રીઓને અને નારાજ નેતાઓને પણ ધ્યાનમાં રાખીને જવાબદારી સોંપવામાં આવી શકે છે. અને આગામી ચૂંટણીની રણનીતિ ઘડશે. ભૂપેન્દ્ર યાદવ ની સફળ સંગઠનના સફળ રણનીતિકાર તરીકે જોવામાં આવે છે.
2017માં જ્યારે તેઓ ગુજરાતના પ્રભારી હતા તે સમયે ગુજરાતમાં પાટીદારો ભાજપ ના વિરોધમાં હતા. તે સમયે ભાજપને સત્તામાં આવે તેવી પરિસ્થિતિ ન હતી.
તેવા સંજોગોમાં ભૂપેન્દ્ર યાદવે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કર્યો સમગ્ર ગુજરાતમાં કાર્યકર્તાઓને જીત માટે જુસ્સો ભરીયો હતો. પાટીદાર અનામત આંદોલન અસર કઈ રીતે ઓછી થાય તે માટે રણનીતિ ઘડી હતી.
પાટીદાર અનામત આંદોલન કરતા અન્ય નેતાઓને તોડીને છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાયા હતા. અને પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને ભાજપને હારતા હારતા જીત તરફ વાળી દીધા હતા. 150 બેઠક જીતવા માટે આ નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે.
2017માં ભાજપને જ આપવામાં તેમની રણનીતિ કારગર નીવડી હતી. ત્યારે હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે.
આ વખતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પાર્ટી આમને-સામને ટકરાવાની છે. ત્યારે ભાજપ દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!