ભાજપનો માસ્ટરપ્લાન / મિશન 2022 ને લઈને મોદી લેશે આ મોટા નિર્ણય, વિપક્ષી પાર્ટી માં ચિંતાનો માહોલ
ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્ય મંત્રીઓ બદલ્યા હવે ભાજપના ધારાસભ્યોને હટાવવાની ફિરાકમાં છે. આ વાત જાણકરી ને પાર્ટીના અમુક અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણી વખતે પણ ભાજપે 15 થી 20 જેટલા ધારાસભ્યોને હટાવી દીધા હતા. પરંતુ આ વખતે પ્રમાણમાં ધારાસભ્યોને હટાવવામાં આવશે.
તેવી માહિતી સામે આવી રહી છે પાર્ટી વરિષ્ઠ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે કે, લોકોને ઘણા મુદ્દે અસંતોષ છે. તેમાં પણ 2022માં પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે.
જેથી પાર્ટી દ્વારા મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. ભાજપના એક કાર્યકર્તા એવી માહિતી સામે આવી છે કે, દરેક ધારાસભ્યોએ પાંચ વર્ષમાં જેટલા પણ કામ કર્યા છે.
તેના રિપોર્ટ પણ જમા કરવામાં કહેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ઘણા ધારાસભ્યો એવા છે કે, જેમનું કામ બરાબર નથી થઈ રહ્યું જેથી તેને હટાવી દેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ધારાસભ્યના કામ નું મૂલ્યાંકન ઘણા પેરોમીટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભાજપ કાર્યકર્તા એવી માહિતી આપવામાં આવી કે, મહામારી ના પડકાર માં સરકાર દ્વારા દરેક પ્રકારના રાહત કાર્યો કરવામાં આવ્યા.
ગરીબોને અનાજ આપ્યું સાથે જ લોકોની નોકરી જતી રહી છે તેમને પણ સહાય આપવામાં આવી હતી. તે સમયગાળામાં પણ ધારાસભ્યો નું કામ કેવું હતું તે મુદ્દે પણ નિરીક્ષણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે વિપક્ષ દ્વારા ભાજપ ને ઘણા મુદ્દા પર કરવામાં આવી છે. જેને અનુલક્ષીને ભાજપ દ્વારા અત્યારથી જ ચૂંટણી ની પુરેપુરી તૈયારીઓ કરી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!