આ દિગ્ગજ નેતા સહિત ભાજપ અને કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાઓ જોડાયા આમ આદમી પાર્ટીમાં..

આમ આદમી પાર્ટી રાજકોટ શહેરમાં ઇન્દ્રનીલ રાજગુરુ ની આગેવાનીમાં રાજકોટ શહેર પ્રમુખ શિવલાલ ભાઈ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ ના માર્ગદર્શનમાં આમ આદમી પાર્ટીના પરિવાર આશરે 200થી વધુ અલગ અલગ સમાજના લોકો જોડાયા છે. રાજકીય પાર્ટીના આગેવાનો પણ આમ આદમી પાર્ટી નો કેસ ધારણ કર્યો છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીએ ગુજરાત સંગઠનના સભ્યો ચડાવવાનો ઝુંબેશ ચલાવી રહી છે. જેના ભાગરૂપે સભ્ય જોડાવા માટે કાર્યક્રમ યોજાયો જેમાં અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

આ તકે રાજકોટ શહેર પ્રમુખ શિવલાલભાઈ પટેલ અને વશરામભાઇ સૌનું સ્વાગત કર્યું હોય તો ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા નવા જોડાયેલા સાથીઓને આમ આદમી પાર્ટીમાં કોઇપણ પદ કે પ્રતિષ્ઠા નો અપેક્ષા વગર લોકોની સેવા કરવા નું ધ્યાન રાખવાની અપીલ કરી છે.

આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને ઘરે ઘરે જય લોકોની જોડાવાની અપીલ કરવા માટે વિનંતી કરી હતી. આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો મિશન સોંપાયું છે.

જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ આમ આદમી પાર્ટીને સત્તા જમાવવાની એક સામાન્ય વ્યક્તિના જીવનમાં શું પરિવર્તન આવી શકે છે એ નવા જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

આમ આદમી પાર્ટીમાં 200થી વધુ કાર્યકર્તાઓ જોડાયા છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આગામી ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *