ભાજપના ગઢમાં ગાબડું / આ દિગ્ગજ નેતા સહિત 450થી વધુ કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું..

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ હવે રાજકારણમાં હલચલ થઇ રહી છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

અને કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજીને લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે.

ભાજપના 400 કરતાં પણ વધારે કાર્યકર્તા હોય એકસાથે રાજીનામા આપી દીધા હોવાની માહિતી સામે આવી રહી છે. ભાજપના કાર્યકર્તા સામૂહિક રાજીનામા આપ્યા છે.

તે કાર્યકર્તા જૂનાગઢના માંગરોળમાં હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર જૂનાગઢની માંગરોળ નગરપાલિકા વોર્ડ નંબર 9ની પેટા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીના 450 જેટલા કાર્યકર્તાઓએ એકસાથે રાજીનામા આપી દીધા છે.

ભાજપમાં એક સાથે 450 જેટલા અનુસૂચિત મોરચાના ભાજપના કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામાં આપી દીધા છે.

તો બીજી તરફ માંગરોળ શહેર ભાજપ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હાઈકમાન્ડ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હોય તેને આધારે ઉમેદવારી કરવી પડશે.

હજુ સુધી આ કાર્યકર્તાઓના રાજીનામાં મારા સુધી પહોંચ્યા નથી. મહત્વની વાત છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ એક સભામાં નિવેદન આપ્યું હતું કે, ભાજપમાં રીસામણા-મનામણા થતા નથી.

ત્યારે હવે જોવાનું રહ્યું કે માંગરોલ નગરપાલિકાના અનુસૂચિત મોરચાના 450 જેટલા કાર્યકર્તાઓના સામૂહિક રાજીનામા થી હવે ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે કે, પછી કાર્યકર્તાઓને સમજાવવામાં સફળ થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *