ભાજપમાં હલચલ / ભાજપના વધુ એક પદ ખાલી થવાનો ડર ! અમિત શાહે એવું કહ્યું કે, બોલાવવામાં આવી તાબડતોડ બેઠક..

વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે તેમને નવું મંત્રીમંડળ તૈયાર કરી આપવામાં આવ્યું છે. ત્યારે રાજકારણમાં હલચલ થઇ છે. હવે ઉત્તરાખંડ કર્ણાટક અને ગુજરાતના મુખ્યમંત્રી બદલ્યા બાદ ભાજપના નેતાઓને સંદેશો મળી ચૂક્યો છે. કે કામ નહીં કરાય તો વિદાય લેવી પડશે.

મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ સૌથી મોટા નેતા છે. અંદાજે તેઓ દસ વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે.હાલ શિવરાજસિંહ ચૌહાણના માથે ચિંતાના વાદળો છવાઈ રહ્યા છે.

અમિત શાહે બધાની સામે સાંસદ રાકેશજી ના વખાણ કર્યા છે. જેથી હવે શિવરાજસિંહ પણ દબાણ આવી ગયું છે. પરિણામે તેઓ પોતાની પ્રતિભા વધારી રહ્યા છે. અને રોજ અનેક બેઠકો યોજી રહ્યા છે.

ગત શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મધ્યપ્રદેશના જબલપુરમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં તેમણે પૂર્વ ભાજપ જીવ અને સાંસદ રાકેશજીના ભરપૂર વખાણ કર્યા હતા.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, અમિત શાહની મુલાકાત બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ પોતાની બેઠકો વધારી દીધી છે. હાલ મુખ્યમંત્રી શિવરાજસિંહ રાજ્યના અધિકારીઓની સાથે પૂરજોશમાં કામ કરી રહ્યા છે.

18 સપ્ટેમ્બરે અમિત શાહ જબલપુર પહોંચ્યા હતા. ત્યારબાદ એક દિવસ પછી શિવરાજ સિંહ રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.

જે મુલાકાતને લઇને મુખ્યમંત્રી એવું કહ્યું કે, સંબંધી યોજનાઓ પર ચર્ચા થઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *