રાજકારણમાં હલચલ / કેજરીવાલે આપ્યા મોટા સંકેત, આ દિગ્ગજ નેતા જોડાશે આમ આદમી પાર્ટીમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લાગતા ઘણી જાહેરાત કરી છે. આ દરમ્યાન કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલને જ્યારે સિદ્ધુના આમ આદમી પાર્ટી માં જોડાવા અંગે સવાલ કરાયો ત્યારે તેને કહ્યું હતું કે, આ એક કાલ્પનિક સવાલ છે.
કેજરીવાલના પ્રવાસ અગાઉ જ પંજાબ ના નવા મુખ્યમંત્રી એ લોકોના વીજળી બિલ માફ કરવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે કેજરીવાલે કહ્યું હતું કે, કેજરીવાલ ની નકલ કરવી ઘણું સરળ છે.
પરંતુ અમલ કરવો મુશ્કેલ છે આ માટે સાહસ અને હિંમતની જરૂર છે. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રથમવાર તેમની સરકાર બનતા જ તેમને ભ્રષ્ટ અધિકારીઓને હટાવ્યા હતા.
જ્યારે પંજાબમાં ભ્રષ્ટ લોકોને મંત્રી પદ આપવામાં આવી રહ્યા છે. કેજરીવાલ સાથે કહ્યું હતું કે લોકોએ એક આશા સાથે કોંગ્રેસની સત્તા આપી હતી આજે સરકાર જેવું કંઈ છે જ નહીં.
સરકાર ના નામે તમાશો અને સત્તાની ગંદી લડાઈ જોવા મળી રહી છે. કોંગ્રેસનો દરેક નેતા મુખ્યમંત્રી બનવા માંગે છે, આવી સ્થિતિમાં લોકો ક્યાં જાય એ સવાલ છે. આમ આદમી પાર્ટી દ્વારા દિવસે ને દિવસે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
તેમજ તેમની પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને પાર્ટીમાં નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીમાં ભારે તૈયારીઓ જોવા મળી રહી છે. શિક્ષણ સાથે રોજગાર, ખેતી, વીજળી-પાણી વેપાર અનેક મુદ્દા વ્યવસ્થા પરિવર્તન કરવા ગુજરાતના ખૂણેખૂણેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!