રાજકારણમાં હલચલ / કોંગ્રેસ ગુજરાતમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં, પ્રદેશ નેતાઓ ને અંધારામાં રાખી…

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે દરેક પક્ષ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અત્યારથી જ તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ જાણવા સર્વે કરાયો હોવાનું સામે આવ્યું છે. ભાજપ ની જેમ ગુજરાત કોંગ્રેસમાં પણ રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા માટે હાઈ કમાન્ડે સર્વે કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

જેમાં હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતમાં ઊતારીને સર્વે કરાયો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જૂના જોગીઓને ઘરભેગા કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી નિશાળીયા કહી શકાય તેવા ધારાસભ્યોના હાથમાં રાજ્યનું કમાન સોંપી દીધું છે.

કોંગ્રેસ હાઈ કમાન્ડ એ પણ આ જ માર્ગ અપનાવીને પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કર્યું છે. ગુજરાતમાં અત્યારે વિપક્ષ જેવું કશું નથી. તેઓ રાજ્યની પ્રજાને સાથે થઈ રહ્યો છે.

ભાજપ સાથે વ્યાપારી સંબંધો ધરાવતા કોંગ્રેસના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે.

પ્રજાના પ્રશ્નોને લઈને લડી શકે તેવી હિંમત કોંગ્રેસના પીઠ નેતાઓમાં રહી નથી. ખુદ કાર્યકર્તા જ કહી રહ્યા છે. કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નહીં જીતના કોંગ્રેસના નેતાઓને સાઇડલાઇન નહીં કરાય ત્યાં સુધી કોંગ્રેસ નો ઉદ્ધાર નહીં.

કાર્યકર્તાઓની ફરિયાદ આધારે એઆઈસીસી ની એક પ્રદેશ કોંગ્રેસના નેતાઓને અંધારામાં રાખીને ગુજરાતના આઠ ટીમો ઉતારી હતી.

આ ઉપરાંત કોંગ્રેસના પીઢ નેતાઓ વિશે મંતવ્ય મેળવ્યા હતા. આ સર્વેમાં એવા તારણ નીકળ્યા હતા કે, વર્ષ 2022 ની ચૂંટણીમાં નવા યુવા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાઓને ટિકિટ અપાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *