પાટીદારોને રિઝવવા માટે ખુદ નરેન્દ્ર મોદી ઉતરશે મેદાને, પાટીદારોના ગઢમાં આમ આદમી પાર્ટી આપી રહી છે સીધી ટક્કર
ગુજરાતી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો પ્રભાવશાળી પાટીદાર સમાજને લીધેવા માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. રાજ્યની 182 વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ 45 પાટીદારો ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 42 પાટીદારો મેદાને ઉતર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 46 પાટીદાર સમાજના નેતાઓને ટિકિટ આપી છે.
પાટીદારો માટે પ્રિયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારનાગઢમાં જાહેર સભા અને રોડ શો કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે સભા ગઢવી રહ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારના ગઢ સુરતની મુલાકાતે આવવાના છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 નવેમ્બરે સુરતમાં આવવાના છે. જેને લઇને સુરતમાં ભાજપ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદી એરપોર્ટ થી મોટા વરાછા રોડ પર રોડ છે.
સાથે પાટીદારના ગઢ સમાન મોટા વરાછામાં જાહેરસભા યોજાશે. ઉલ્લેખનીય છે કે, સુરત સહિત ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને જોવા મળી રહી છે. હવે પાટીદાર પ્રભુત્વ બેઠક પર પીએમ મોદી ખુજ રોડ શો યોજી રહ્યા છે.
રાજ્યની 182 વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટા વરાછામાં જાહેર સભા પૂર્ણ થયા બાદ પીએમ મોદી રાત્રી રોકાણ સુરતમાં જ કરશે બીજા દિવસે બાર વાગ્યા સુધી સુરતમાં રોકાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!