નરેશ પટેલ અને કુંવરજી બાવળીયાએ કરી બંધબારણે બેઠક, બન્ને દિગ્ગજ નેતા જોડાશે કોંગ્રેસમાં !
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નરેશ પટેલ અને કુવરજી બાવળીયા વચ્ચે બેઠક મળી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. કોંગ્રેસમાં ગુજરાતના રાજકારણમાં મોટો ખળભળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે નરેશ પટેલના નામની જાહેરાત કરી શકે તો ગુજરાતના કોળી સમાજના આગેવાન અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરી શકે છે.
એ મહત્વનું છે કે ગુજરાતમાં 85 લાખ લેઉવા પાટીદાર અને 74 લાખ કોળી મતદારો છે. નરેશ પટેલ અને કુંવરજી બાવળિયા વચ્ચે બેઠક મળી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
નરેશભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા વચ્ચે એકાદ મહિના પહેલાં બંધ બારણે મિટિંગ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં નરેશભાઈ એ કુવરજીભાઈ સમક્ષ કોંગ્રેસ હાઇકમાન્ડે આપેલી ઓફર તેમની સમક્ષ મૂકયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર નરેશ પટેલ કોંગ્રેસ સાથે ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે. બીજી તરફ કોળી જ્ઞાતિની પણ મોટી વોટબેંક છે. એ કબજે કરવા કોંગ્રેસ પાર્ટી કોળી સમાજના આગેવાનોને પણ આમંત્રણ આપી રહી છે.
તેમાં કુંવરજી બાવળિયા નું નામ મોખરે છે, અહેવાલો ના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી આવતા મહિને ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમની હાજરીમાં નરેશ પટેલ જોડાય તેવી શક્યતા એવી પકડ્યો છે,
સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ગુજરાતમાં પાટીદાર વોટબેંક સૌથી પ્રભાવશાળી બનાવી છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35 થી 37 બેઠક પર કોળી સમાજ મતદારો નિર્ણાયક સાબિત થાય છે.
જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 22 થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતને 10 થી 12 બેઠક ગણી શકાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!