નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન
ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ કર્યો છે કે, ભલે ગમે તે વાવાઝોડા આવે પણ કોઈ વાવાઝોડું નરેશ પટેલને હરાવી નહીં શકે. નરેશ પટેલે સમાજના લોકોને સારા લોકોને રાજકારણમાં મોકલવા પણ અપીલ કરી હતી. સાથે એવી પણ ટકોર કરી હતી કે, ખુરશી મળ્યા પછી જેનું ધ્યાન સમાજ પરથી ન હટે તેવા લોકોને ચૂંટણી લડજો.
જાહેર મંચ પરથી રાજકારણ વિશે સ્પષ્ટ રીતે પોતાના મત વ્યક્ત કરતા નરેશ પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીતમાં પોતે ખોડલધામના પાટોત્સવ એટલે કે 21 જાન્યુઆરી પછી રાજકારણમાં આવશે.
એવા સ્પષ્ટ સંકેત આપ્યો હતો તેમને પોતાના રાજકારણમાં પ્રવેશ વિશેની વાત ખોડલધામ ખાતે પાટોત્સવ નો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નહીં કરવા વિનંતી કરી હતી.
નરેશ પટેલના નિવેદન આપીને આડકતરી રીતે તેઓ ખોડલધામના 5 મો પાટોત્સવ રાજકારણની નવી સફર શરૂ કરે તેવો ઇશારો કરી દીધો છે.
ગુજરાતમાં લેવા પાટીદાર ના કુળદેવી ખોડીયાર માતાના સૌથી મોટા મંદિર ખોડલધામ ખાતે પાટોત્સવ ની તૈયારી શરૂ થઈ ગઈ છે. ખોડલધામમાં યોજના કાર્યક્રમ ખુબ જ મહત્વનું છે.
આ કાર્યક્રમ માટે ખોડલધામ ના ચેરમેન અલ્પેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. આ પ્રવાસ ના ભાગરૂપે આવેલા નરેશ પટેલે મંચ પરથી આ અપીલ કરી છે.
ખોડલધામ કાગવડ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ખોડલધામના પાટોત્સવ આમંત્રણ આપવા માટે રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત નરેશ પટેલ સોમવારે રાજ્યના છેવાડા આવેલા વલસાડ જિલ્લાના તાપી પહોંચ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!