Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નરેશ પટેલે લીધો મોટો નિર્ણય, મનસુખ વસાવાનાં આક્ષેપને લઈને.. - GUJJUFAN

નરેશ પટેલે લીધો મોટો નિર્ણય, મનસુખ વસાવાનાં આક્ષેપને લઈને..

જાતિના દાખલા ની જૂની પદ્ધતિથી આપવાના નિર્ણયોને સાંસદ મનસુખ વસાવાનો વિરોધ કરતા મંત્રી નરેશ પટેલે જવાબ આપ્યો છે. ગુજરાત સરકારે આદિવાસીઓને જાતી ના દાખલા ઓ ની જૂની પદ્ધતિઓ સહેલાઈથી આપવાનો નિર્ણય કરતા ભાજપ સાંસદ મનસુખ વસાવાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો સંસદસભ્યો આદિવાસી સમાજના તમામ સંગઠનની સાથે બેથી ત્રણ તબક્કામાં મીટીંગ કરવાની જરૂર છે.

આવો ઉતાવળિયો નિર્ણય લેવો તે યોગ્ય નિર્ણય નથી. જેની સામે ગુજરાત સરકારની આદિવાસી જાતિ વિભાગ ના મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમે તમામ આદિવાસી ધારાસભ્યો સંસદસભ્યો આદિવાસી સંગઠન સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી.

તમામ વિશ્વાસમાં લઈને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર સાથે ચર્ચાનો નિર્ણય કર્યો છે. અમારો આ નિર્ણય યોગ્ય જ છે મનસુખ વસાવાએ કદાચ એ દિવસે બહાર હશે, એટલે એ બેઠકમાં હાજર નહીં રહી શક્યા હોય એ બની શકે છે.

મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, મનસુખ વસાવા ની ચિંતા જ છે એ અમારા વડીલ છે. ઘણીવાર એ પણ અમને સલાહ સૂચન આપે છે.

અમને એવી ચિંતા છે કે જો ખોટો દસ્તાવેજ ખોલી આપીએ તો લોકો ખોટા દાખલાઓ પણ લઈ જાય મનસુખ વસાવા ની ચિંતા બાબતે અમે મક્કમ છીએ.

આવનારા દિવસોમાં એ બાબતે પૂરેપૂરું ધ્યાન આપીશું. સરકારનો આ નિર્ણય જ્યાં સુધી કોઈ નવો હુકમ ન થાય ત્યાં સુધી ફક્ત ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂરતો જ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *