Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી આપશે રાજીનામું ! રાજકારણમાં જોડાવવાનું નક્કી, આ વ્યક્તિ બનશે નવા ચેરમેન - GUJJUFAN

નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી આપશે રાજીનામું ! રાજકારણમાં જોડાવવાનું નક્કી, આ વ્યક્તિ બનશે નવા ચેરમેન

નરેશ પટેલ ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નરેશ પટેલની રાજકારણમાં ખોડલધામનું ચેરમેન પર છોડી શકે છે. નરેશ પટેલ હાલ ગુજરાતની રાજનીતિમાં અનેક મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે. તેમાંનો એક પરેશ પટેલની રાજકારણ માં જોડાવા અંગે નો મુદ્દો છે. નરેશ પટેલ કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ તે પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત છે. કારણ કે નરેશ પટેલ ખોડલધામ ચેરમેન પદેથી રાજીનામું આપી દે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નરેશ પટેલ ખોડલધામ ના ચેરમેન પદેથી રાજીનામુ આપશે. તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે નરેશ પટેલ રાજકોટ માં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે.

સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ નરેશ પટેલ ખોડલધામ ના ચેરમેન પદેથી રાજીનામું આપશે. નરેશ પટેલના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિનેશ કુંભાણી નરેશ પટેલના નજીકના વ્યક્તિ ગણાય છે. બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટી ઓનો વિપરીત મત છે. ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો છે જો બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામ ના ચેરમેન કેમ ન રહે.

જો કે સમગ્ર મુદ્દે નરેશ પટેલ નો નિર્ણય આખરી રહેશે આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ પહેલા ખોડલધામ ની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ ટ્રસ્ટીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

નરેશ પટેલ 15 દિવસ માટે જર્મની જતાં હોવાની શક્યતા છે. નરેશ પટેલ વિદેશ ગમન ની તૈયારી કરી રહ્યા છે એમ નરેશ પટેલના રાજકીય પ્રવેશ માટે હજુ રાહ જોવી પડી શકે છે.

ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયા એ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે કહ્યું કે, આજે નરેશ પટેલ કોઈ નિર્ણય નહીં લે ટ્રસ્ટીની કમિટી રચાશે ત્યારબાદ નરેશ પટેલ નિર્ણય લેશે. હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લેશે, તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *