મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર / રેલવેના ભાવ માં થયો 50 ટકાનો મોટો ઘટાડો, જાણો
મોંઘવારી વચ્ચે રેલવે જનતાને મોટી રાહત આપી છે ભારતીય રેલવે બોર્ડ મુંબઈ માં એસી લોકલ ટ્રેન ભાડામાં ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. હવે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો મુસાફરી કરી શકે છે. રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે કહ્યું કે રેલવે બોર્ડ મુંબઈમાં એસી લોકલ ટ્રેન ભાડામાં 50 ટકા ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
મળતી માહિતી મુજબ ટિકિટનો દર 130 રૂપિયાથી ઘટીને રૂપિયા થઈ ગયો છે. અહીંથી સેન્ટ્રલ લાઈન સુધી નું ભાડું કિલોમીટરના આધારે આપવામાં આવશે લોકલ ટ્રેન અને મુંબઇની લાઇફ લાઇન કહેવામાં આવે છે.
પરંતુ મુંબઈમાં આ દિવસોમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે 26 એપ્રિલ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વધતી ગરમી ને કારણે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી એસી લોકલ ટ્રેનની માંગ વધી છે.
મોટાભાગના મુસાફરો એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે, આવી સ્થિતિમાં મુસાફરોને ટ્રેનમાં બેસવાની જગ્યા નથી મળી રહી. ડિસેમ્બર 2017 માં મુંબઈ એસી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.
આ ભારતની પ્રથમ AC લોકાલ ટ્રીન નથી મુંબઈમાં પ્રથમ AC લોકાલ ટ્રીન બોરીવલી ટુ ચર્ચગેટ રૂટ પર દોડાવવામાં આવી હતી. બાદમાં અન્ય રૂટ પર પણ એસી ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે, મુંબઈમાં એસી લોકલ ટ્રેનની ટિકિટ ની કિંમત ઘટાડવાથી લોકોને રાહત મળી છે.
હવે તેમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.આ દરમિયાન તેમણે ડીઝલ અને પેટ્રોલના ભાવને લઇને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!