ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની રચના થઈ છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં 24 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ શહેરા એવા છે કે, એક પણ વખત મંત્રી બન્યા નથી. ભૂપેન્દ્ર પટેલ પણ વર્ષ 2017માં પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હવે તેમને મંત્રી બનાવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ જુના મંત્રીઓને નવી સરકારમાં સ્થાન મળતા કેટલી જગ્યા પર નેતાના સમાજના લોકો તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ત્યારે પૂર્વ મુખ્યમંત્રીઓના સમર્થકોની નારાજગી બાબતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારા નવા મંત્રી બનેલા તમામ બહેનો ભાઈઓને ખુબ ખુબ અભિનંદન તેમને શુભેચ્છા પાઠવું છું.
ગુજરાતનો વિકાસ થાય પ્રગતિ થાય અને જનતાની વધુને વધુ સેવા થાય તે પ્રકારના કામ કરવાની ભગવાન શાંતિ આપે અને સહયોગ આપે તેવી પ્રાર્થના કરું છું.
નવા મંત્રીમંડળની રચના પછી અલગ અલગ સમાજ અને કાર્યકર્તાઓમાં રહેલી નારાજગી બાબતે નીતિન પટેલે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ, સમાજ, જિલ્લો, નારાજ થાય તો તે જોવાનું અત્યારે મારી કોઈ જવાબદારી નથી.
આ બધું જોવાની જવાબદારી નેતૃત્વની છે. મારે એ વિશે ચર્ચા કરવાનું કોઈ કારણ નથી. સ્વભાવિક છે કે, કોઈ આવે છે. અને કોઈ જાય છે એટલે મને ખુશી થતી હોય છે. અને મને સમર્થકો અને તેના વિસ્તારને પણ ખુશી થતી હોય છે.
2020માં સરકાર ભુપેન્દ્ર પટેલની બનશે તે સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેને નવું નેતૃત્વ સોપોયું અને નવા મંત્રીઓને જવાબદારી સોંપી છે. એ બધું જ કામ આગળ વધારવાનું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!