નીતિન પટેલનું નિવેદન / સિંચાઇ માટે પાણી આપવું શક્ય નથી, કારણ કે..
75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ બાદ ગોધરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના ડેમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઇના પાણી અંગે જણાવ્યું હતું કે, ગુજરાતના ડેમોમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે. સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમોમાં પીવાના પાણી માટે રિઝર્વ રખાયો છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે અઠવાડિયામાં સારો વરસાદ થાય તો જ ખેતીને બચાવી શકાશે. નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રહાર કર્યો છે કે, ધારાસભ્ય હર્ષદ રિબડીયા માંગ કરી છે.
સરકાર ખેડૂતોની સ્થિતિ અંગે વિચાર કરે હર્ષદ રીબડીયા કહ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત ડેમોમાં સરકાર પાણી આપે તો હાલ ખેડૂતોને પાણી નહીં મળે તો, પાક બરબાદ થઈ જશે.
પાછળથી વરસાદ આવશે તો પીવાનું પાણી મળી જશે. તેમને કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને પાણી મળવું જરૂરી છે. આમ વિપક્ષોએ નીતિન પટેલ ના વિરોધ માં ઘણી બધી પ્રતિક્રિયા આપી હતી, અને પાણી માટેની માંગ કરી હતી.
રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 36.6 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી દરમ્યાન વરસાદ થાય તો ખેડૂતોનો પાક બચી શકે તેમ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!