AAP નો જનસંવેદના કાર્યક્રમનો 45મો દિવસ, ગામના 250થી વધુ લોકો જોડાયા આપમાં…
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત માં સંવેદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ સંવેદના મુલાકાત કાર્યક્રમનું હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ દિવસે પાર્ટીના નેતાઓ ખેડા જિલ્લાના કપડવંજ ના નિરમાલી ગામે પહોંચ્યા હતા.આમ આદમી પાર્ટીની આ જન સંવેદના કાર્યક્રમ જ્યાં હતું ત્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
માહિતી અનુસાર આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમના 45 ના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓ કપડવંજના નિરમાલી ગામે પહોંચ્યા હતા.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગામની બાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટીના નેતા ઇસુદાન ભાઈ ગઢવી ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અને સાંત્વના પાઠવી હતી, સાથે જ કાર્યક્રમમાં સત્તાધારી ભાજપ સરકાર પર ઇશ્વરદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા એ પ્રહાર કર્યા હતા.
પાર્ટીના જનવેદના કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો ની હાજરી વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ દિવસેને દિવસે વધુ જાય છે, અને લોકોની તરફ આકર્ષણ વધતા આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!