રામદાસ આઠવલેના અનામત અંગેના નિવેદન પર, PAAS નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું મોટું નિવેદન…
ગુજરાતમાં પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માંગ ને લઈને શાંત પડેલ મામલો હવે પાછો ચર્ચામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, પાટીદારોને ઓબીસીમાં વહેલી તકે સમાવી લેવામાં આવે તે અંગે પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ની પ્રતિક્રિયા સામે આવી છે. રામદાસે અમદાવાદ જિલ્લામાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના ગરીબ લોકોને અનામતનો હક ચોક્કસપણે મળવો જોઈએ.
આ મુદ્દે અમારા મંત્રાલય તમામ રાજ્યની અધિકાર આપ્યો છે. ગુજરાત સરકારે હવે પાટીદારોને ઓબીસીમાં સમાવવા અંગે ઝડપી થી નિર્ણય લેવો જોઈએ.
ગુજરાતમાં ગરીબ પાટીદારોને હાલમાં EWS નો લાભ મળે છે. ત્યારે કેન્દ્ર પ્રધાન રામનાથ આઠવલે જણાવ્યું હતું. કે પાટીદાર સમાજને ઓબીસીમાં અનામતનો લાભ મળવો જોઇએ.
રામદાસનો નિવેદન પર પાસ નેતા અલ્પેશ કથીરિયા અને પ્રતિક્રિયા સામે આવી છે. અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, આ માટે રાજ્ય સરકારે પહેલાં સર્વે કરવો જોઈએ તે પછી આ નિર્ણય પર પગલાં લેવા જોઈએ.
મહત્વની વાત એ છે કે, થોડા મહિના પહેલાં અમદાવાદની મુલાકાત દરમિયાન રામનાથ આઠવલે અનામત લઇને ની મોટું નિવેદન આપ્યું હતું 8 લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારો ને અનામત આપવી જોઈએ સાથે
તેઓએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મરાઠા હરિયાણા ના રાજપૂતો ને પણ અલગ અનામત આપવાની ભલામણ કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!