PAAS, SPG અને નરેશ પટેલ ભાજપના આ દિગ્ગજ નેતા સાથે કરશે બેઠક, રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ

SPG અને પાટીદાર અનામત આંદોલન PAASની મહેસાણા માં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ખોડલધામ, ઉમિયાધામ અને આંદોલનના નેતાઓ આજે એક સાથે મળીને બેઠક કરશે. ગાંધીનગર ખાતે આજે સાંજે 6:30 કલાકે યોજાનારી બેઠક પહેલા પાટીદાર નેતા નરેશ પટેલ આડકતરી રીતે રાજકારણમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં હલચલ થઇ છે.

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ બેઠકમાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ કડવા પાટીદાર સમાજની સંસ્થાના સૌથી મોટી સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના પ્રતિનિધિને આમંત્રણ અપાયું છે.

2022 ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ. તેવી તીવ્ર માંગણી કરી હતી ધાર્મિક સ્થળથી રાજનૈતિક નિવેદનને લઈને તર્ક-વિતર્ક શરૂ થયા હતા ત્યાર પછી રાજ્યમાં તખ્તો પલટાયો અને

આ ખાતરી છતાં તમામ કેસો પાછા નાખી જતા પાટીદાર સમાજમાં અસંતોષ છે. સંતોષ દૂર કરવા રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની બેઠક બોલાવી છે.

ભુપેન્દ્ર પટેલના રૂપમાં નવા પાટીદાર મુખ્યમંત્રી મળ્યા. આ બેઠકમાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને નરેશ પટેલ કડવા પાટીદાર સમાજની સંસ્થાના ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના પ્રતિનિધિને આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત  અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓ હાજર રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *