પક્ષ પલટો / કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ સાથે મળીને ચૂંટણી લડવાની કરી મોટી જાહેરાત
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય હલચલ મચી છે. ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવા અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપ પ્રભારી ગજેન્દ્રસિંહ શેખાવત એ કહ્યું કે, નિશ્ચિત છે કે, ભાજપ અમરિંદર સિંહ સાથે મળીને ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ વિધાનસભાની ચૂંટણી ભાજપ સાથે લડવાનું નક્કી કર્યું છે.
સીટ વહેચણી જેવા વિષય પર પછી ચર્ચા કરવામાં આવશે. તેવું કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન વચ્ચે થોડા દિવસો પહેલા ભાજપના પ્રભારીએ ચંદીગઢમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિન્દર સિંહના પંજાબના લોક કોંગ્રેસ પાર્ટી થી રચના કરી. ઉત્તર પ્રદેશની જેમ પંજાબમાં પણ આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે.
ત્યારે આ એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે, કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ એક થઈને ચૂંટણી લડશે.
2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી વિપક્ષી પાર્ટીઓ ની ચિંતામાં વધારો થયો છે. અગાઉ કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
ત્યારથી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે, કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ સાથે મળી ને ચૂંટણી લડશે કાતો કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાશે. પરંતુ અત્યારે તે વાતની ચોખવટ થઈ ગઈ છે કે, કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!