પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માં કરશે પ્રવાસ, જાણો શા માટે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા જેલવાસ બાદ હવે ગુજરાતના અલગ અલગ સ્થળો પર મુલાકાત સાથે પ્રવાસ કરશે. અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બે દિવસનો પ્રવાસ કરશે. જેમાં 7 ઓગસ્ટના રોજ શનિવારે સાંજે અલ્પેશ કથીરિયા 5:30 કલાકે ઊંઝા ઉમિયા ધામ મંદિર ખાતે ઉમિયામાના દર્શન કરીને આશીર્વાદ લેશે, ત્યાર બાદ એસપીજીના પ્રમુખ લાલજી પટેલ ની સાથે મુલાકાત કરશે.

બીજા દિવસે એટલે 8 ઓગસ્ટ 2021 ના રોજ અલ્પેશ કથીરિયા સવારે 11 વાગ્યે સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન કરશે. ત્યારબાદ 8 ઓગસ્ટ બપોરે બે વાગ્યે રાજકોટના જસદણ ખાતે નિર્માણ પામી રહેલા પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત કરશે.

અલ્પેશ કથીરિયા ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ 7 વાગ્યે લેઉવા પાટીદાર નું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ કાગવડ માં ખોડલ માતાજીની આરતી અને દર્શન કરશે, સાથે સાથે સ્થાનિક પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે.

મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પાસના કાર્યકર્તા અને બીટીપી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બીટીપી ના કાર્યકર્તાઓ કારમાં બેસીને વિડીયો ઉતારી રહ્યા હતા, આ વાતને લઈને અલ્પેશ કથીરિયા સહીત પાર્ટીના કાર્યકર્તા એ બીટીપી ના કાર્યકર્તા ને માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો.

આ બાબતે અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી, અને આ ગુનામાં અલ્પેશ કથીરિયા લાજપોર જેલમાં સજા કાપી રહ્યા હતા, ત્યારબાદ તેઓ વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી આપી અને અલ્પેશ જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *