પાટીદાર અગ્રણીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાટીદારને 50 ટિકિટ આપે નહીંતર…
વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર પોલિટિકલ શરૂ થઈ ગયું છે. પાટીદાર સમાજના ઉમિયાધામ શિક્ષણના પ્રમુખ જયરામ પટેલે જણાવ્યું કે, અમારી માંગ છે કે વિધાનસભામાં ભાજપ પાટીદારોને 50 ટિકિટ આપે. જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેલા જયરામ પટેલના કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેકને માંગવાનો અને પોતાની વાત રાખવાનો અધિકાર છે.
પાર્ટીને ક્યાંથી વધારે સીટ મળે તેના આંકડા તેમની પાસે હોય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 50 ટિકિટ આપી હતી. આ વખતે 50 સીટ આપે એવી અપેક્ષા છે. ચૂંટણી પહેલા પાટીદાર પોલિટિકલ શરૂ થઈ ગયું છે.
પાટીદાર સમાજના ઉમિયાધામ શિક્ષણના પ્રમુખ જયરામ પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા 14 લોકોને ન્યાય આપવા અંગે જણાવ્યું કે, સરકારમાં અમે રજૂઆત કરી છે. એ સમયે પણ દરેકને 20 20 લાખ રૂપિયા આપ્યા હતા.
તેમને જણાવ્યું કે, પાટીદાર સમાજની મોટી છે છ સંસ્થા છે જેમાં સૌરાષ્ટ્રમાં બે ખોડલ ધામ અને સીદસર ઉમિયાધામ, સમસ્ત પાટીદાર સુરત, સરદાર ધામ અમદાવાદ અને વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અમદાવાદ અને ઊંઝા ઉમિયાધામ નો સમાવેશ છે.
આ છ સંસ્થા એ મળીને પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા 14 યુવાનોના પરિવારને 20 20 લાખ રૂપિયા આપ્યા છે. આ પરિવારના લોકોને સરકારમાં નોકરી મળે તેવી પણ અમારી સરકાર સમક્ષ માંગ છે.
આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર પાટીદાર અગ્રણી જેરામ પટેલે મોટું નિવેદન આપ્યું છે. અમારી માંગ છે કે વિધાનસભામાં ભાજપ પાટીદારોને 50 ટિકિટ આપે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!