સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો વધારો, ગૃહિણીઓ માટે માઠા સમાચાર
ખાદ્ય તેલના ભાવ ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. તો બીજી તરફ યુક્રેન અને રશિયા ના વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા 3 મહિનામાં ખાદ્યતેલના ભાવ 200 થી લઈને 600 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પામોલ તેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પામતેલ ના ભાવ વધતા ફરસાણ ઉદ્યોગ અને નમકીન ઉદ્યોગ પણ ખૂબ જ અસર જોવા મળી રહી છે 50 ટકા જેટલો ભાવ વધારાની અસર ઉદ્યોગ પર પડી રહી છે.
સન ફ્લાવર તેલના ભાવમાં 500 થી લઇને 600 રૂપિયા નો વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલના ભાવમાં 350 થી લઈને 400 રૂપિયા ભાવ વધારો થયો છે. જ્યારે સિંગતેલના ભાવમાં 400 રૂપિયા જેટલો વધારો થયો છે.
આ વધારો છેલ્લા 3 મહિના માં નોંધાયો છે. ત્યારે ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવ 2800 સુધી પહોંચી ગયા છે.
અને આ ભાવ છેલ્લા ત્રણ મહિનામાં મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે. વેપારીઓનું માનવું છે કે, આગામી ટૂંક સમયમાં ભાવમાં ઘટાડો નોંધાશે કેન્દ્ર સરકાર રાજ્ય તેલના ભાવ કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
સીંગતેલનો નિકાસ થતા સિંગતેલના ભાવ વધારો થાય છે. મોંઘવારી અને ફુગાવાને કાબૂમાં લેવા માટે સરકારે ખાદ્યતેલના ભાવ ઘટે તે માટે આયાત કરવાની છૂટ આપવાની જાહેરાત કરી છે. સરકારે સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યૂટી માફ કરતા તેલના ભાવમાં ઘટાડો થયો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!