PM મોદીએ તાબડતોડ બોલાવી બેઠક, આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રી પરિષદ સાથે બેઠક કરવામાં આવી છે. ઓમીક્રોન સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા નવા વેરિયન્ટ સંક્રમણ ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠક સાંજે ચાર વાગ્યે મળે તેવી શક્યતા છે.
માહિતી અનુસાર આ બેઠકમાં તમામ મંત્રીઓ હાજર રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરશે અને સ્થિતિની સમીક્ષા કરશે.
આ પહેલા પણ પીએમ મોદી ગયા ગુરુવારે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.આ બેઠકમાં પીએમ મોદી અધિકારીઓને વધુ સતર્ક રહેવાની સલાહ આપી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ડેટા કરતાં ત્રણ ગણા વધુ સંક્રમણ ધરાવતા આ નવી મહામારી માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. અને તાલુકા સ્તરે પણ તકેદારી રાખવી જોઈએ અત્યાર સુધીના 21 રાજ્યોમાં આ મહામારી ફેલાઈ ચૂકી છે.
દિવસેને દિવસે વધી રહેલી મહામારી અંગે પીએમ નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. અને આગામી દિવસોમાં સતત આ૫વાની પણ કહ્યું છે.
તેમ જ રાજ્ય સ્તરે અને જિલ્લાસ્તરે પણ આ બાબતે સમીક્ષા કરવામાં આવી છે, અને ઝડપથી વેક્સિનેશન ના કાર્ય કરવા બાબત પર ભાર મૂક્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!