ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, 36 રાજ્યના પ્રમુખો સાથે પીએમ મોદી કરશે આ મુદ્દે ચર્ચા..

બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક સવારે રવિવારે દસ વાગ્યે દિલ્હીના ઓડિટોરિયમમાં શરૂ થશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે. જ્યારે તેની શરૂઆત ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા ના ભાષણ થી થશે. આ બેઠકમાં ભાજપના તમામ અગ્રણીઓ અને વરિષ્ઠ નેતા તેમજ કેન્દ્રીય મંત્રી જેમ કે રાજનાથ સિંહ, અમિત શાહ , નીતિન ગડકરી, પિયુષ ગોયલ, નિર્મલા સીતારમણ હાજર રહેશે.

આ બેઠક માં લગભગ 124 સભ્યો દિલ્હીમાં બેઠક સ્થળે હાજર રહેશે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કાર્યકારિણીના સભ્યો ભાગ લેશે દેશના અલગ-અલગ 36 સ્થળોએથી ભાજપના નેતાઓને સામૂહિક રીતે જોડવામાં આવશે.

આ બેઠકમાં મુખ્યત્વે પાંચ રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી પર મનોમંથન કરવામાં આવશે. આ વખતે એક જ રાજકીય ઠરાવ પસાર કરવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કરવામાં આવશે.

ખાસ કરીને આ રાજકીય પ્રસ્તાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજના પર ચર્ચા કરવામાં આવશે.

તેની સાથે આત્મનિર્ભર ભારત પર આધારિત એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવશે. જે સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટર આપવામાં આવતા તમામ લાભો પર આધારિત હશે.

ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે. પાર્ટી રાજ્યમાં સતત રેલીઓ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *