નરેશ પટેલ ચૂંટણી આવતા જ રાજકીય પાર્ટીઓમાં રાજકીય પ્રેશર લાગે છે ! પ્રભુત્વ વધારે..

ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ફરી રાજકીય સૂર વગાડ્યો છે. જો સમાજ કેહશે તો હું રાજકારણમાં આવીશ તેવું નિવેદન આપીને નરેશ પટેલે સૌરાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી છે. જોકે આ પ્રથમ વખત નથી અગાઉ વર્ષ 2017 થી નરેશ પટેલ રાજકીય પક્ષ સાથે જોડાવાની સ્પષ્ટ ના પાડી ને રાજકીય ચોકઠાં બેસાડવા જોવા મળી રહ્યા છે.

તમામ રાજકીય પક્ષો સાથે તેઓ બેસે છે અને પોતાનું પ્રભુત્વ વધારવા જોવા મળી રહ્યા છે. રાજકીય પક્ષોમાં પોતાનું પોલિટિક્સ કદ વધારવાનો પ્રયત્ન કરે છે.

રાજકારણમાં પ્રવેશ એટલે ચૂંટણી લડવી એવું નથી. નરેશ પટેલે એવું કહ્યું હતું નરેશ પટેલ અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, તેઓ ક્યારેય ચૂંટણી નહીં લડે.

આજે પોતાના નિવેદન દરમિયાન નરેશ પટેલે કહ્યું કે રાજકારણમાં પ્રવેશ કરવો એટલે એવું નથી કે ચૂંટણી લડવી સમાજના વિકાસ માટે રાજકારણમાં પ્રવેશ કરી શકે છે.

તમામ રાજકીય પક્ષોએ નરેશ પટેલને આવકાર્યા છે. તો કયા પક્ષમાં જોડાયા એ સવાલ બહુ સ્વાભાવિક છે પરંતુ નરેશ પટેલ જોડાય તો કયા પક્ષમાં જોડાઈ તેની સૌની નજર છે.

નરેશ પટેલના નિવેદનથી તમામ રાજકીય પક્ષોએ તેને આવકારવા માટે તૈયાર થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં આવવાના સંકેત આપતા અનેક લોકોએ પોતાની પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *