Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પ્રદિપસિંહ નું મોટું નિવેદન / ભાજપને હરાવવા દેશ વિરોધી તાકાતો એક થઈને આવવાની છે. - GUJJUFAN

પ્રદિપસિંહ નું મોટું નિવેદન / ભાજપને હરાવવા દેશ વિરોધી તાકાતો એક થઈને આવવાની છે.

ધારીખેડા અને ડેડીયાપાડા જાનકી આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરાયું વિધાનસભા ચૂંટણી માટે કાર્યક્રમોએ કમિટી પર વધુ ધ્યાન આપવું.

સી આર પાટીલ ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ થતા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ડેડીયાપાડા અને ધારીખેડા જાનકી આશ્રમ ખાતે વૃક્ષારોપણ અને વરસાદી પાણીનો સંગ્રહ કરી અમૂલ્ય પાણી બચાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, ત્યાં ભાજપ મહા મંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમયે પ્રદીપસિંહ વાઘેલા સાથે મુલાકાતમાં મીડિયાએ સવાલ પૂછયો હતો કે, કોંગ્રેસ ઉપરાંત અન્ય પાર્ટીઓ એ પણ વિધાનસભા ચૂંટણી લડવા આવશે ત્યારે જણાવ્યું હતું કે, દેશ વિરોધીઓ તાકાત એક થઈને ગુજરાતમાં ભાજપને હરાવવા આવવાની છે.

ગુજરાતના લોકો દેશવિરોધી તાકાતોને જાકારો આપશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નુ લક્ષ્ય છે કે, ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા માં જીતીશું કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસના લઈને અમે પ્રજા પાસે જઈશું.

પ્રદીપસિંહ વાઘેલા એ કાર્યકરોને જણાવ્યું હતું કે, જો ચૂંટણી જીતવી હશે તો બુથ જીતવું પડશે. આવનારી 2022 વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપના દરેક કાર્યકરોએ બુથ સમિતિ અને પેજ કમિટી પર વધુ ધ્યાન આપવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *