ગુજરાતના મુખ્યમંત્રી મંડળમાં આ ત્રણ દિગ્ગજ ને પડતા મૂકવાથી ભાજપને ભારે….
નો રિપીટ થિયરી અજમાવી ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતની રાજકીય લેબોરેટરી માં એક નવો પ્રયોગ કરવા જઈ રહી છે. પ્રદિપસિંહ જાડેજા, કુંવરજી બાવળિયા અને જયેશ રાદડિયા ને પડતા મૂકવા ભાજપ હાઈ કમાન્ડે મન બનાવી લીધું છે. પરંતુ આ નેતાઓના મંત્રીપદ અપાય તો આગામી વિધાનસભાની ચૂંટણી ના મત વિસ્તારમાં મોટો પ્રભાવ પડી શકે છે, જેના કારણે મંત્રીના નામો પર પસંદગી અટકી પડી હતી.
કુંવરજી બાવળિયાના ભત્રીજા જય બાવળીયા જસદણમાં કોળી સમાજની બોર્ડિંગ ખાતે કોળી સમાજ ની મીટીંગ બોલાવી છે. એ મહત્વનું છે કે, કુંવરજી બાવળિયાની કેબિનેટ મંત્રી પદની ખુરશી જોખમમાં છે. તેવી ચર્ચા ચાલી રહી છે.
ત્યારે હાલમાં કોળી સમાજ અને પાટીદારો વચ્ચે ની પોસ્ટ સોશિઅલ મીડિયામાં વાયરલ થઈ છે. મંત્રી મંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળ તમામ મંત્રીઓ ના પડતા મૂકીને નવા સવાર ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયત શરૂ થતા નારાજગી અને અસંતોષ ઉભો થયો છે.
જેનો પડઘો દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચી ગયો છે. આના કારણે શપથવિધિ અચાનક અટકાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર શપથવિધિ અટકાવવા પાછળ મંત્રીમંડળની યાદી જવાબદાર હોઈ શકે છે. હાલમાં સિનિયર નેતાઓ નું નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
પ્રદિપસિંહ જાડેજા ક્ષત્રિય સમાજ નો ચહેરો છે આ ઉપરાંત તેમને અને સામાજિક કાર્ય પણ કર્યા છે.જયેશ રાદડિયા રૂપાણી સરકારમાં મંત્રી હતા લો પ્રોફાઇલ રહીને કામ કરતા હતા.
જયેશ રાદડિયા રાજકોટ જેતપુર વચ્ચેના પટ્ટામાં એક હતું. શાસન ધરાવે છે, તેમના પિતા વિઠ્ઠલ રાદડિયા એક સમયે સૌરાષ્ટ્રના કોંગ્રેસના કદાવર નેતા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!