રઘુ શર્માની મોટી જાહેરાત / આ દિગ્ગજ નેતાના પત્તા થશે કટ ! ટિકિટ મળશે નહીં
ગુજરાતમાં કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને મોટી જાહેરાત કરી છે ડો. રઘુ શર્મા એલાન કર્યું છે કે, ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચૂંટણી નહીં લડી શકે. ડોક્ટર શર્માએ કહ્યું કે હાલના ધારાસભ્યો પૈકી તમામ ચૂંટણી ટિકિટ મળી શકે તેવું નથી. અને જે ધારાસભ્યો જીતી શકે તેમ હશે.
તેમને જ રીપીટ કરવામાં આવશે શર્માએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ જીતી શકે એવા ઉમેદવારો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. અને જીતી ન શકે એવા ઉમેદવારો અને ધારાસભ્યો ના પત્તા કપાશે.
કોંગ્રેસના સંગઠનને પ્રભારી .રઘુ શર્માએ કહ્યું હતું કે આ મહિનાના અંતમાં કોંગ્રેસના સંગઠન માળખું જાહેર થઈ જશે. અને નવા હોદ્દેદારોની દેવામાં આવશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડો. શર્મા શનિવારે સવારે છ વાગ્યે સાબરમતી રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. આજે 11:30 વાગ્યે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરવાના છે.
આ બેઠકમાં આદિવાસી વિસ્તારના બેઠકો જીતવા થયેલા માટે યોજના અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.
તેમજ આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન કયા મુદ્દા પર દેખાવ કરશે, તેની વ્યૂહરચના નક્કી કરીને કોંગ્રેસ રોડ પર ઉતારવા માટે તૈયાર કરેલ આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.
અને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મહેસાણા જવા માટે રવાના થશે રઘુ શર્મા સંગઠનમાં જેમને સ્થાન આપવામાં આવશે.
એવા કેટલાક નેતાઓને પણ શનિવારે અને રવિવારે મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!