PM મોદીના અમેરિકા પ્રવાસ વચ્ચે રાકેશ ટિકૈતે ટ્વિટ કરી આપ્યું મોટું નિવેદન, અમેરિકાના રાષ્ટ્રપતિને કરી આ માંગ

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે આંદોલનમાં સરકાર અને ખેડૂતો પીછેહઠ કરવા માટે તૈયાર નથી. ત્યારે આ આંદોલનને વધુ સક્રિય બનાવવા માટે થનગની રહેલા રાકેશ ટિકૈત ફરી ચર્ચામાં આવ્યા છે. દેશના આંતરિક મુદ્દામાં અમેરિકાના રાષ્ટ્રપતિ થી હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. જે બાદ ઘણા બધા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

આજે જ પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે વોશસ્ટિંગ મુલાકાત થવાની છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે પીએમ મોદીને મળે ત્યારે અમારી સમસ્યા નું આખ્યાન ધ્યાન આપવામાં આવે.

પીએમ મોદી જે ત્રણ કાયદા લાવ્યા છે. તેનું અમે વિરોધ કરી રહ્યાં છીએ. અને 11 મહિનામાં વિરોધમાં સાચો ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ કાયદા સામે અમારી રક્ષા કરવી ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાના પ્રવાસ પર છે. અને ત્યાં સાથે મિટિંગ કરી છે.

આ પહેલા તેમણે અમેરિકાના ટોપ બિઝનેસમેન સાથે બેઠક પણ કરી હતી. આંદોલન મામલે ખેડૂતો પીછેહઠ કરવા તૈયાર નથી પીએમ નરેન્દ્ર મોદી પ્રવાસ વચ્ચેનો વિવાદ શરૂ થયો છે.

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. પરંતુ હજી સુધી કોઈ પ્રશ્નોનો હલ આવ્યો નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *