સૌરાષ્ટ્ર કોંગ્રેસના 5 ધારાસભ્ય સહિત લલિત કગથરા જોડાશે ભાજપમાં ! લલિત કગથરાએ આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાવાને મામલે કોંગ્રેસના પ્રદેશના કાર્ય કરી પ્રમુખ લલિત કગથરાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, અત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્ય કોંગ્રેસ છોડે તેવી ચર્ચા ચાલી રહી છે. જે માત્ર અફવા છે. એક તરફ ભાજપ કહે છે કે, હવે અમે કોઈને લેશું નહીં અને બીજી તરફ ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય લાલચ આપે છે. ભાજપના કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી. અત્યારે ભાજપની 70% લોકો કોંગ્રેસના છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લલિત કગથરા ક્યાંય જવાના નથી. લલિત કગથરા કોંગ્રેસ સાથે છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા સૂત્રો દ્વારા જાણકારી મળી રહી હતી કે,લલિત કગથરા ભારતીય જનતા પાર્ટી માં જોડાય છે. પરંતુ લલિત કગથરાએ આ અફવા ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સમાચાર સામે આવી રહ્યા હતા કે સૌરાષ્ટ્રના કોંગ્રેસ ના છ ધારાસભ્ય ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. તારીખ 17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ બંને નેતાઓ તાજેતરમાં દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય કન્ફર્મ ટિકિટ સાથે ભારતમાં જોડાશે તેવું સૂત્ર દ્વારા જાણકારી મળી રહી છે. સૌરાષ્ટ્રમાં મજબૂત બેઠકના ધારાસભ્ય ની વિકેટ ખેડવવા ભારતીય જનતા પાર્ટીએ વ્યુહરચના તૈયાર કરી દેવાય છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું કેસરિયો ઓપરેશન ચાલી રહ્યો છે.
જેમાં ભારતીય જનતા પાર્ટી માં મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે. સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસના છ ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવી ચર્ચા મામલે લલિત કગથરા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસના છ ધારાસભ્ય કોંગ્રેસ છોડે તેવી ચર્ચા ચાલી રહી છે જે માત્ર અફવા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જે કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વક ગૃહ મંત્રી નરેશ રાવલ અને પૂર્વ સંસદ રાજુ પરમાર 17 ઓગસ્ટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!