Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપના કાર્યકર્તાઓએ બનાવ્યું PM મોદી નું મંદિર, જુઓ. - GUJJUFAN

ભાજપના કાર્યકર્તાઓએ બનાવ્યું PM મોદી નું મંદિર, જુઓ.

ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે પુણેમાં પીએમ મોદી નું મંદિર બનાવ્યું છે. તેની અંદર પીએમ મોદી ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મયુર મુંડે નામના કાર્યકર્તાએ કહ્યું કે, વડાપ્રધાને ‘અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું’ તેથી તેમણે આ મંદિર તેમના સન્માન કરવા માટે બનાવ્યું છે.

પીએમ મોદી નું મંદિર પુણેના ઓધ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતાં મુંડે કહ્યું કે, વડાપ્રધાન બન્યા પછી મોદીએ ઘણા વિકાસના કાર્યો કર્યા છે, અને જમ્મુ કાશ્મીર માં 370 નાબુદ કરવા, રામ મંદિરનું નિર્માણ અને ત્રીપલ કલાક જેવા મુદ્દા પર કામ કર્યું છે.

પત્રકારોને જણાવ્યું હતું કે, મને લાગ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનાવનાર વ્યક્તિ માટે મંદિર બનવું જરૂરી છે. તેથી મેં આ મંદિર મારા પરિસરમાં બનાવવાનું નક્કી કર્યું છે.

આ મંદિર 1.6 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપના કાર્યકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન ની પ્રતિમા નિર્માણમાં લાગેલ જયપુરના લાલ માર્બલ અને નિર્માણની કિંમત 1.6 લાખ રૂપિયા છે.

તેમને કહ્યું હતું કે, મંદિરમાં મૂર્તિ ને સમર્પિત એક કવિતા પણ જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *