શક્તિ પ્રદર્શન / પાટીદાર સમાજના અગ્રણીઓ ફરી હરકતમાં, આ નિર્ણયથી રાજકારણ ફરી ગરમાયું.
ચૂંટણી નજીક આવતા રાજ્યોમાં બેઠકોનો દોર શરૂ અમદાવાદમાં પાટીદાર સમુદાયની વધુ એક બેઠક યોજાશે. રવિવારે SG હાઈવે પર ઉમિયા ધામ ખાતે યોજાશે બેઠક.
આ બેઠકમાં કેટલાક પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહેવાની ની સંભાવના જોવા મળે છે.આ બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. કારણ કે આગામી બેઠકમાં નરેશ પટેલ આપ્યું નિવેદન બાદ આ બેઠક ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ બેઠકોનો દોર શરૂ થયો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 નજીક આવતાની સાથે જ એક પછી એક સમાજમાં બેઠક નો દોર શરૂ કર્યો છે.
આ શરૂ કરવામાં સૌથી પહેલી બેઠક ખોડલધામ ખાતે પહેલી બેઠક પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલે ની આગેવાનીમાં યોજાઇ હતી. ત્યારે અમદાવાદમાં પાટીદાર સમાજની વધુ એક બેઠક યોજાશે. આ બેઠક રવિવારના રોજ SG હાઈવે પર ઉમિયા ધામ ખાતે યોજાશે.
આ બેઠકમાં કડવા, પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. સમાજ ના ઉત્થાન માટે બેઠકનું આયોજન મુદ્દો સામે આવ્યો છે. જેમાં દિલીપ નેતાજી, સી.કે પટેલ, બાબુ જમના પટેલ, વાસુદેવ પટેલ સહિતના રાજકીય નેતાઓ પણ હાજર રહેવાના છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!