શંકરસિંહ વાઘેલા થયા સક્રિય, આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન, રાજકારણમાં ખળભળાટ
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જામનગર શહેર શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણમાં ઉપસ્થિત થયા છે. તેમને કહ્યું કે, જો રાજકીય આગેવાનોની કલ્યાણ થશે તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે. ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. આ વ્યવસ્થા કાયમી થવી જોઈએ તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. જામનગર શહેરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ભાગવતાચાર્ય રમેશભાઇ ના ચરણોમાં વંદન કરીને તેઓની દિવ્યવાણી થી રાજકારણીઓનું કલ્યાણ થાય તેવું જણાવ્યું હતું.
જો રાજકીય આગેવાનોનો કલ્યાણ થશે, તો જ પ્રજાનું કલ્યાણ થશે, તેવી વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યજમાન પરિવાર દ્વારા પ્રતિદિન આરતી સહિત અનેક કાર્યક્રમમાં ના કાર્ય કરવામાં આવી રહ્યા છે.
તે કાર્યને દ્વારા ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરવાની જરૂર છે. તેમને જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા એ સરકારને સલાહ આપી હતી કે, પરશુરામ જયંતિ ની રજા જાહેર કરવા શંકરસિંહ વાઘેલાએ પહેલ કરી હતી.
જ્યારે ગઈકાલની પરશુરામ જયંતિ ની તિથિ કે તે પર્વની ગુજરાતમાં રજા જાહેર કરવાની મુખ્ય પ્રધાનના કાળમાં પોતે પહેલ કરી હતી, જે હજુ ચાલુ છે, તેમ પણ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ત્રીજા દિવસના રાત્રી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે ધારાસભ્યો અને યજમાન હકુભા જાડેજા દ્વારા તેઓનું સન્માન કરાયું હતું.
આ ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પોતાની માતાની સ્મૃતિમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જેનું અનેક હાલના વાસીઓ લાભ મેળવી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!